AHMEDABAD : નરોડા પોલીસ સ્ટેશનના આશીર્વાદ થી અનાજ માફિયા ગિરીશ મોદી બન્યો બેફામ કે શું !? ગરીબ ના અનાજનો બારોબાર વહીવટ કરવાનું ષડયંત્ર !

0
152

FCI વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર વેચી મારવાનું કામ કરી રહ્યા છે.અહીં વાત કરવામાં આવે તો ચામુંડા બ્રિજ પાસેથી નરોડા જવાના રોડ ઉપર ડાબી બાજુ આવેલી ત્રણ થી ચાર દુકાનો ના માલિક ગિરીશ મોદી દ્વારા નરોડા વિસ્તારની રેશનિંગ ની દુકાનોના માલિકો દ્વારા નરોડા વિસ્તારમાં ગોડાઉન ધરાવનાર ગિરીશ મોદી નામની વ્યક્તિ દ્વારા FCI ના અધિકારીઓ સાથે ઘરોબો રાખી FCI દ્વારા આપવામાં આવતો અનાજ નો જથ્થો બારોબાર ગિરીશ મોદી નામના વ્યકતિ ને વેચી મારવાનું કૌભાંડ કરી રહ્યા છે અને તે અનાજ બારોબાર ઘંટી માં દળી લોટને અનેક હોટલોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે છતાં પણ અમુક પોલીસ સ્ટેશનના ગણ્યા ગાંઠ્યા બની બેઠેલા પોલીસ કર્મચારીઓ ગિરીશ મોદી નામના શખ્સ ને છાવરતા હોવાથી તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને નરોડા પોલીસ સ્ટેશનમાં આવેલા નવા પી.આઈ.દ્વારા તો મસ મોટો હપ્તો બાંધ્યો હોવાની વાતો એ પણ ચર્ચાઓ ઉઠવા પામી છે તથા સાથે સાથે રેશનિંગ ની દુકાન ચલાવતા માલિકો ઉપર ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વેપારીઓને કોઈપણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.જો ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા ભેગા થઈ આવા તત્વો ને પકડવામાં આવે તો મોટા પ્રમાણ માં કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
આ ગિરીશ મોદી નામનો શખ્સ નરોડા વિસ્તારની 10 જેટલી દુકાનો માંથી રેશનિંગમાં આવતો અનાજ નો જથ્થો બારોબાર પોતાના ગોડાઉનમાં ભરી રહ્યો હોવાની વાત સામે આવી રહી છે.
ગિરીશ મોદી નામના શખ્સ ની હજુ બીજી વધુ વિગતો સાથે જોતા રહો અમારો બીજો અહેવાલ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here