ગુજરાત વિધાનસભા ભાજપના 160 ઉમેદવારોના નામ થયા જાહેર ! કેટલાક કપાયા તો કેટલાક થયા રિપીટ !

0
86

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે આવવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરવાના ચાર જ દિવસ બાકી છે ત્યારે ભાજપે આજે 182માંથી 160 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી છે. તેમાંથી પહેલાં તબક્કાના 83 ઉમેદવાર અને બીજા તબક્કાના 77 ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. 160 ઉમેદવારની યાદીમાં 75 ઉમેદવારોનાં નામ રિપીટ કરવામાં આવ્યાં છે, જ્યારે 85 જૂના ઉમેદવારોનાં નામ કટ કરવામાં આવ્યા છે. 14 મહિલા ઉમેદવારને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં નવા-યુવા-પાટીદાર અને બ્રાહ્મણ ઉમેદવારોનો દમ જોવા મળ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડવાના છે, જ્યારે તેમને કોંગ્રેસમાંથી ડૉ. અમીબેન યાજ્ઞિક ટક્કર આપશે. મોરબી દુર્ઘટનામાં તાક્તાલિક લોકોની મદદે આવેલા કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. હર્ષ સંઘવી જેઓ મજૂરાથી બે વાર જીતી ચૂક્યા છે અને તેથી આ વખતે પણ તેમને ત્યાંથી જ ટિકિટ આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની સીટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ સીટ પરથી વિજય રૂપાણીના બદલે ડૉ. દર્શનાબેન શાહને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જામનગરથી હકુભાને પડતા મૂકીને રીવા બાને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપએ મોટા ભાગના નવા ચહેરા જાહેર કરીને તમામ સમીકરણો બદલી નાખ્યા છે, જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરીને ભાજપે કોઈ રિસ્ક લીધું નથી. આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. જામનગરની વાત કરીએ તો રીવાબાને ટિકિટ આપી પૂનમ મેડમ મેડમને લોબિંગ કર્યું હતું, જેથી તેની સાંસદની સીટ પણ અકબંધ રહે. તો સૌરાષ્ટ્રમાં પક્ષપલટા કરનાર કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી અને બેઠક સિક્યોર કરી છે, જેમાં કુંવરજીભાઈ જવાહર ચાવડા, ભગા બારડ જેવા નેતાઓને ટિકિટ આપી કોઈ જાતનું રિસ્ક લીધું નથી.

ભાજપની યાદીમાં અમદાવાદ શહેરમાં ઘણા ચાલુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે એમાં પણ ખાસ કરીને પ્રદીપસિંહની નજીક ગણાતા પ્રદીપ પરમારને રિપીટ કરાયા નથી. બીજી તરફ પ્રદીપસિંહ જાડેજાની પણ ટિકિટ પર લટકતી તલવાર હજી સુધી વટવાની સીટ જાહેર કરવામાં આવી નથી. આ સીટ પર 2017માં પ્રદીપસિંહ જાડેજા જીત્યા બાદ ગૃહરાજ્યમંત્રી બન્યા હતા, પરંતુ થિયરીમાં આ વખતે કદાચ તેમની ટિકિટ ન મળે તેવું મનાઈ રહ્યું છે. જોકે તેમના ખૂબ નજીક ગણાતા બાપુનગરના કોર્પોરેટર દિનેશ કુશવાને આ વખતે ટિકિટ મળી છે. બાપુનગર વિધાનસભા માટે ચાલતી મોટાં નામોની અટકળો જેમાં તરુણ બારોટ, સુધીર બ્રહ્મભટ્ટ તેમજ અન્ય ઉમેદવારો હતા તેમના પર પૂર્ણવિરામ મુકાઈ ગયા છે. આ વખતે બાપુનગરની સીટ માટે પ્રદીપસિંહ જાડેજાના ખૂબ જ નજીક ગણાતા દિનેશ કુશવાને ટિકિટ મળી છે.

અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભામાં પણ આ વખતે ભાજપે નવો ચહેરો લાવ્યા છે. આ પહેલાં આ સીટ પર જગદીશ પટેલ ધારાસભ્ય હતા, જે આનંદીબેન પટેલના ખૂબ જ નજીક માનવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેમને રિપીટ કરાયા નથી. તેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ મહિલા તબીબને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલાં ચાલુ ધારાસભ્યને કાપવામાં આવ્યા છે, હવે અમદાવાદ શહેરમાં વેજલપુર સીટ પર અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. જો વિદ્યાર્થી નેતાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ભાજપમાં તેમની ખૂબ જ મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here