AHMEDABAD : વડાપ્રધાન નરેન્દ્રમોદી એ સી.આર.પાટીલ સહિતના નેતાઓને આડે હાથ લીધા ! નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ભીડ એકઠી ન થતા થયા ગુસ્સે !

0
479

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે મોટેરા સ્ટેડિયમ માં જ ભાજપ નાં ટોચ નાં નેતા ઓ ને અને અધ્યક્ષ ને ખખડાવ્યા ને નારાજગી વ્યક્ત કરી.
આજે સવારે નવ વાગ્યે જયારે ભારત નાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટેલીયા નાં વડાપ્રધાન એન્થની ઍલ્બાનીઝ કાર ટેબ્લો માં લોકો નું અભિવાદન ઝીલવા નીકળ્યા ત્યારે પચાસ ટકા સ્ટેડિયમ ખાલી હતું. અહીં જાણ ખાતર , આખું સ્ટેડિયમ અઠવાડિયા અગાઉ જ ભાજપ સરકાર દવારા ,નરેન્દ્ર મોદી ઓસ્ટેલીયા નાં વડાપ્રધાન સાથે આવવાનાં હોવાથી , બુક કર્યું હતું. અને તમામ જિલ્લા , તાલુકા અને વોર્ડ પ્રમુખો તથા કાર્યકર્તાઓ ને મફત માં ટીકીટ , ભોજન અને બસ ની લ્હાણી કરી હતી. જેથી લોકો ની ભીડ સ્ટેડિયમ માં દેખાય.
પરંતુ , ટાફિક ની અવ્યવસ્થા નાં લીધે લોકો સવારે દસ વાગ્યા સુધી પણ સ્ટેડિયમ માં પોતાની સીટ પર પહોંચી શક્યા ન હતાં.અને સ્ટેડિયમ ની બહાર બસો અને લોકો નો ચક્કાજામ થઈ ગયો હતો.
જેથી ભાજપ નો આ કાર્યક્રમ ને સફળ બનાવવાનો પ્લાન નો ફિયાસકો થઈ ગયો હતો. જેથી મોદી નારાજ થઈ , બપોરે લંચ પછી સ્ટેડિયમ માં થી જવાને બદલે સવારે દસ વાગ્યે જ રવાના થઈ ગયાં હતાં. અને ભાજપ નાં ટોચ નાં નેતાઓ , અધ્યક્ષ અને આયોજકો ને ખખડાવી નારાજગી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here