રશિયાએ કરી ચોખવટ ! આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના પુરવઠાના નિયંત્રણો હટાવવા જોઈએ !

0
54

રશિયાએ ચોખ્ખું કીધું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના પુરવઠા પરના નિયંત્રણો હટાવવા જોઈએ. પ્રતિબંધ હટાવ્યા વિના તેના માટે દરિયાઈ માર્ગે ઘઉંનો સપ્લાય કરવો શક્ય નથી. નાટોના સભ્ય દેશ તુકેએ રશિયાની આ શરતનું સમર્થન કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાની આ વાત કાયદાકીય રીતે યોગ્ય છે. રશિયા ઘઉં અને ખનિજ ખાતરોનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. હાલમાં, ઘઉંના મુખ્ય નિકાસકાર યુક્રેનની ઘઉંની નિકાસ પ્રણાલી પર રશિયાનો પણ અધિકાર છે.

આવી સ્થિતિમાં જો રશિયાની અપેક્ષા પૂરી નહીં થાય તો વિશ્વમાં ખાદ્ય કટોકટી સર્જાશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આદેશ જારી કરીને કહ્યું છે કે રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રતિબંધો હટાવવા જોઈએ, તો જ ઘઉંની નિકાસ શરૂ કરવી જોઈએ. આ માહિતી ક્રેમલિનના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા આપવામાં આવી હતી. પ્રવક્તાએ
જણાવ્યું હતું કે યુક્રેનના યુદ્ધ સામેના પ્રતિબંધોને કારણે રશિયન જહાજોને વીમા, ચૂકવણી અને યુરોપીયન બંદરોમાં રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં જો રશિયાની અપેક્ષા પૂરી નહીં થાય તો વિશ્વમાં ખાદ્ય કટોકટી સર્જાશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આદેશ જારી કરીને કહ્યું છે કે રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રતિબંધો હટાવવા જોઈએ, તો જ ઘઉંની નિકાસ શરૂ કરવી જોઈએ. આ માહિતી ક્રેમલિનના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા આપવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ સામેના પ્રતિબંધોને કારણે રશિયન જહાજોને વીમા, ચૂકવણી અને યુરોપીયન બંદરોમાં રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here