GUJARAT : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાણી પુરવઠા વિભાગના “મક્કમ સરકાર અડીખમ વિકાસગાથા” પુસ્તકનું વિમોચન કર્યું !

0
149

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી કામગીરીનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે !

રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ૯૬ ટકાથી વધુ ઘરોમાં નળ જોડાણ સંપન્ન. ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં ૫૨૧૮ ગામોના ૭.૭૦ લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યા.
 ૧૦ મહિનામાં પાણી પુરવઠા વિભાગના કુલ રૂ. ૨૧૯૮.૯૨ કરોડના વિકાસ પ્રકલ્પો અને યોજનાકીય કાર્યોનું લોકાર્પણ, રૂ. ૨૧૮૯.૮૬ કરોડના ખાતમૂહુર્ત અને રૂ. ૧૦૮૪.૭૪ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.


 આદિજાતી વિસ્તારોના ૪.૫ લાખ લાભાર્થીઓને લાભાન્વિત કરતી રૂ. ૫૮૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ અસ્ટોલ તેમજ છોટાઉદેપુર અને દાહોદના ૩૪૩ ગામો અને ૨ શહેરના નાગરિકોને લાભાન્વિત કરતી રૂ. ૮૪૦ કરોડની DDSA ( દક્ષિણ દાહોદ સધર્ન એરિયા) જુથ પાણી પુરવઠા યોજનાનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ ****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતની વિકાસ યાત્રાને દસ માસથી વધુ સમયગાળો પૂર્ણ થયો છે.
રાજ્યની વિકાસગાથાને આગળ ધપાવતાં આ સમયગાળા દરમિયાન પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના સબળ નેતૃત્વ અને મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝાંખી રજૂ કરતા “મક્કમ નિર્ધાર , અડીખમ વિકાસગાથા” પુસ્તકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આજરોજ વિમોચન કરવામાં આવ્યું હતુ.
સ્વર્ણિમ સંકુલમાં આયોજિત પુસ્તિકા વિમોચન કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી , મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ પુસ્તકમાં ગુજરાતમાં થયેલ જળક્રાંતિની વિગતો જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ૯૬ ટકા કરતા પણ વધારે ઘરોમાં નળ જોડાણ સંપન્ન થયું. જેમાં ખાસ કરીને ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં પાણી પુરવઠા વિભાગે યુધ્ધના ઘોરણે કામગીરી કરીને ૫૨૧૮ ગામોના ૭.૭૦ લાખ ઘરોને નળ જોડાણ થી જોડ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના દસ માસના સમયગાળામાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને સંકલનના પરિણામે કુલ રૂ. ૨૧૯૮.૯૨ કરોડના વિકાસ પ્રકલ્પો અને યોજનાકીય કાર્યોનું લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યું.
જેમાં અસ્ટોલ, DDSA જેવી મહત્વની યોજનાઓનો પણ સમાવેશ થાય છે.
તદ્ઉપરાંત આ સમયગાળામાં રૂ. ૨૧૮૯.૮૬ કરોડની યોજનાકીય કાર્યોનું ખાતમૂહુર્ત અને રૂ. ૧૦૮૪.૭૪ કરોડના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેની સમગ્રતયા વિગતો આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
પાણીપુરવઠા વિભાગ દ્વારા 10 માસમાં રૂ. 5284 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે રૂ. ૫૮૯૧ કરોડની ૧૦૪ યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વાસ્મો યોજના અંતર્ગત 1069 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જેનો અંદાજીત ખર્ચ રૂ. 1064 કરોડ છે.
ગુજરાતના આદિજાતી વિસ્તારોમાં મહત્વકાંક્ષી યોજના એટલે અસ્ટોલ અને DDSA( દક્ષિણ દાહોદ સધર્ન એરિયા) જુથ પાણી પુરવઠા યોજનાની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ૪.૫ લાખ લાભાર્થીઓને લાભાન્વિત કરતી અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૫૮૬ કરોડના ખર્ચે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ૩૪૩ ગામો , ૨ શહેર અને ૧૩૮૯ ફળિયાઓને પીવાલાયક પાણી પહોંચાડતી DDSA( દક્ષિણ દાહોદ સધર્ન એરિયા) યોજના રૂ. ૮૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
પાણી પુરવઠા વિભાગના આ પુસ્તકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યો, સંસાધનો અને આયોજનનું સર્વગ્રાહી વ્યવસ્થાપન કરવા તથા માનવ સંશાધનો, ફરીયાદ નિવારણ, ફાયનાન્સ અને સ્ટોર ઇન્વેન્ટરીનું મોનીટરીંગ થાય અને જલ જીવન મિશનના કાર્યો પૂર્ણ કરતા તેમજ સતત મોનીટરીંગ થાય તે માટે તૈયાર કરાયેલ E.R.P. સોફ્ટવેરની કામગીરી પણ દર્શાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here