AHMEDABAD : અમદાવાદ શહેર હોમગાર્ડ કમાન્ડન્ટ જબરસિંહ સેખાવત અને એસ.કે.યાદવના કાળા કાળનામાં ! બોગસ ભરતી અને ખોટી હાજરીઓ પુરાવી સરકારી નાણાં ની કરાઈ રહી છે ઉચાપત !

0
4209

અમદાવાદ શહેરમાં હોમગાર્ડ દળમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાના પુરાવા ચાલુ હોમગાર્ડ દ્વારા ઉજાગર કરવામાં આવતા અધિકારીઓમાં ભાગદોડ થઈ જવા પામી છે.નિવૃત કે મૃત હોમગાર્ડનો બક્કલ નંબર અન્ય કોઈ વ્યક્તિને ફાળવવામાં આવતો હોતો નથી પરંતુ અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ જબરસિંહ સેખાવત અને તેની ટોળકી દ્વારા અન્ય વ્યક્તિઓને આપી દઈ ખોટી નોકરીઓ અપાવી દીધી છે અને તેવા 11 હોમગાર્ડ ને ખોટી રીતે પગાર ચૂકવાતો હોવાની વાત સામે આવી છે.આ ઉપરાંત ગેરહાજર કે ડ્યુટી ઉપર નહીં આવતા હોમગાર્ડની પણ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ. દ્વારા ખોટી હાજરી પુરી સહી કરવામાં આવતી હોવાના આક્ષેપો એક ચાલુ હોમગાર્ડ જયસુખભાઈ પટેલે કર્યા છે.
અમદાવાદ હોમગાર્ડ ભવનમાં એવો ભ્રષ્ટચાર ચાલી રહ્યો છે કે આપ પણ જાણી ને ચોંકી જશો ! દુબઇ અને બેંગ્લોર માં ફરતા હોમગાર્ડની ખોટી હાજરીઓ પુરી ને પગાર ચૂકવવાનું મસ મોટું રેકેટ ચાલતું હોવાના પુરાવા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવના હાથે આવતા જ સમગ્ર મામલો પ્રકાશ માં લાવતા કમાન્ડન્ટ જબરસિંહ સેખાવત સાહિતના અધિકારીઓ ભૂગર્ભ માં ઉતરી ગયા છે.એક ડિવિઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવ તો હોમગાર્ડ ને ધમકીઓ પણ આપતો હોવાની વાત ચર્ચાઓએ જોર પકડ્યું છે.અને વધુ તો એસ.કે.યાદવ પોતાની સ્કૂલમાંથી ડુપ્લીકેટ સર્ટિફિકેટ પણ બનાવી ને અનેક હોમગાર્ડ ને નોકરી આપી દીધી હોવાના સમગ્ર પુરાવા ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.

જબરસિંહ સેખાવત,એસ.કે.યાદવ અને એમ.પી.શાહ સહિતના અધિકારીઓના કાળા કાળનામાં આવતા અહેવાલમાં જોતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here