રાજ્યના 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારેસન મૂકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મુકવામા આવ્યા છે.
અમદાવાદના નવા કલેક્ટર તરીકે ધવલ પટેલ
રમેશ મેરઝા બન્યા ભાવનગરના કલેક્ટર
કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી
સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર
જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા
ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક
બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી