AHMEDABAD : અમદાવાદ શહેરના રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ ને ક્યાં નેતાઓના છે આશિર્વાદ !? આ સમગ્ર મામલામાં કોણ કોણ છે ભાગીદાર !? બન્યો ચર્ચાનો વિષય !

0
647

અમદાવાદ શહેરમાં શેરબજાર કિંગ કહેવાતા રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ અનેક વિવાદો ને લઈ ને ચર્ચા માં રહેવાનું પસંદ કરતાં હોય તેવું લાગી રહ્યું છે.શેરબજાર માં અનેક રૂપિયાના ગોટાળા કરી અનેક લોકોને ચૂનો આપનાર રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ ને ક્યાં રાજકીય નેતાઓ અને ક્યાં જૈન મુનિના આશીર્વાદ છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
વાત કરવામાં આવે તો રાજુ બાર્ટર અને એક જૈન મુનિ તો અનેક ધંધામાં પણ ભાગીદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.શેરબજાર માં પોતે જ અનેક સ્ક્રિપ્ટ ચલાવી લોકો ને લાલચ અપાવી અને શેર ખરીદવાનું કહી અને પછી એ સ્ક્રીપ્ટ નો ભાવ તોડી કાઢી અનેક લોકોને ચૂનો લગાડનાર રાજુ બાર્ટર અને અતુલ શાહ ના બે સાગરીત અંકિત શાહ અને આસિત વોરા નામના શખ્સો આ સમગ્ર વહીવટ સંભાળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.થોડા વર્ષો પહેલા રાજુ બાર્ટર ની ઓફિસ અને તેના નજીકના લાગતા વળગતા લોકો અને તેના અંગત વિશ્વાસુ વ્યક્તિ આસિત વોરાના ઘરે પણ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રેડ પણ કરવામાં આવી હતી અને તેમાં રાજુ બાર્ટરના અનેક બેનામી કરોડોના વ્યવહારો પકડાયા હતા પરંતુ રાજકીય વગ ધરાવતા રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ ઉપર કામચલાઉ પ્રકારની કાર્યવાહી કરી ને કેસ ને લુલો કરી નાખવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે.
રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ ની વાત કરવામાં આવે તો આ બને જણા એ ભેગા મળી અમદાવાદ થી શંખેશ્વર જવાના રસ્તા ઉપર અનેક બિલ્ડીંગો અને બંગલા ની સ્કીમો મૂકી અને જેમાં એક જૈન મુનિ પણ ભાગીદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.જો એક જૈન મુનિ સંસાર છોડી જમીનો અને વ્યાજના ધંધામાં પડે તો જૈન સમાજ માટે લાંછન લગાડતો કિસ્સો માનવામાં આવી રહ્યો છે.જો આ સમગ્ર મામલે ED, IT, અને CID ક્રાઇમ જેવા વિભાગો દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર મામલે રાજુ બાર્ટર,અતુલ અને તેના મળતિયા અંકિત શાહ,આસિત વોરા અને એક જૈન મુનિ ની બેનામી સંપતિઓ અને અનેક કરોડો ના વ્યવહારો હાથમાં આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ ઉપર રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ
હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થવા પામ્યા છે.જો ભવિષ્યમાં રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ દ્વારા પૂર્વ કૌભાંડી હર્ષદ મહેતા જેવું પુનરાવર્તન થાય તો નવાઈની વાત નહીં.
રાજુબાર્ટર,અતુલ,અંકિત શાહ અને આસિત વોરાની બીજી સઘળી હકીકતો જાણવા માટે અમારો બીજો અહેવાલ ટૂંક સમયમાં જોતા રહો

ચેનલ હેડ
સ્ટેફી કુનુરિયા
સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here